સુશાંતસિંહની પુર્વ મેનેજર દિશાએ ૮ જુને પાર્ટીમાંથી નીકળ્યા બાદ પોલીસને ૧૦૦ નંબર ઉપર ફોન કર્યો હતો નવો ધડાકો
મુંબઇ : ભાજપના ધારાસભ્ય નીતેશ રાણેએ દાવો કર્યો છે કે સુશાંતસિંહ રાજપુતની પુર્વ મેનેજર દિશા સાલીયાને ૮ જુનના રોજ કથિત જુહુ પાર્ટીમાં સામેલ થયા બાદ ૧૦૦ નંબર પર પોલીસને ફોન કર્યો હતો એ જ દિવસે તેનું મોત પણ થયુ હતુ, રીપબ્લીક ટીવીએ આ અંગેનો ખુલાસો કર્યો છે. નીતેશે કહયુ છે કે જો આ આકસ્મીક મૃત્યુ કે આત્મહત્યા હતી તો મુંબઇ પોલીસે દિશા મામલાના અધિકારી શા માટે બે વખત બદલયા, જો આકસ્મીક મૃત્યુ હતુ તો તેના કોલ રેકોર્ડ એવું શા માટે બતાવે છે કે તેણીએ આખરી કોલ ૮ જુનના રોજ રાત્રે ૮.૩૦ કલાકે કર્યો હતો અને તેનો ફોન ચાર થી સાડાચાર કલાક માટે સ્વીચ ઓફ થઇ ગયો હતો અને તેના મોત બાદ તેનો ફોન કોઇએ ઉપયોગમાં લીધો હતો. આ ઘટના સવાલ ઉઠાવે છે કે આત્મહત્યા નથી લાગતી તેથી તપાસ થવી જોઇએ. નીતેશનું કહેવું છે કે અમારા સાંભળવામાં આવ્યા મુજબ પાર્ટીમાં તેની સાથે કંઇક ખોટુ થયુ હતુ અને તેણે પાર્ટીમાંથી રવાના થયા બાદ ૧૦૦ નંબર ઉપર ફોન કર્યો હતો અને મદદ માગી હતી.