મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્યમંત્રી પ્રહલાદ સિંહ પટેલ કોરોના સંક્રમિત: ટવીટ કરીને આપી જાણકારી

કહ્યું જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ સાવચેતી રાખે

નવી દિલ્હી : મોદી સરકારના વધુ એક કેન્દ્રીય મંત્રી કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્યમંત્રી પ્રહલાદ સિંહ પટેલ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મંત્રીએ ખૂદ આ અંગે જાણકારી આપતા ટ્વિટ કરી કે, "ગઈકાલે રાત્રે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ સાવચેતી રાખે. "

 અત્રે ઉલ્લેખનીય છે કે, મોદી સરકારમાં સામેલ અનેક મંત્રીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાં અમિતભાઈ  શાહ, ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્ર સિંહ શેખાવત, શ્રીપદ નાઈક અને સુરેશ અંગડી સામેલ છે.

(1:14 pm IST)