News of Wednesday, 17th August 2022
તહેવારો દરમિયાન મોદી પ્રધાનમંડળની પુનઃરચના ? કેટલાક પડતા મુકાશે તો કેટલાકનો ઉમેરો થશે: ખાતાઓની ફેરબદલી પણ થઈ શકે છે: ન્યૂઝફર્સ્ટ
એવા અહેવાલો મળે છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તહેવારોના દિવસોમાં પ્રધાન મંડળની પુનઃરચના કરી શકે છે. નબળી કામગીરી બાબતે બે થી ત્રણ પ્રધાનોને પડતા મૂકવામાં આવી શકે છે અને ૪ થી ૬ નવા ચહેરાઓનો પ્રધાન મંડળમાં નરેન્દ્રભાઈ સમાવેશ કરે તેવી સંભાવના છે. આજે ભારતીય જનતા પક્ષની સર્વોચ્ચ બોડી પાર્લામેન્ટરી બોર્ડમાં મોટા ફેરફાર કરી કર્યા પછી હવે પ્રધાનમંડળમાં પણ ફેરફારો તોળાઈ રહ્યા છે. *ન્યૂઝફર્સ્ટ
(7:33 pm IST)