મુખ્ય સમાચાર
News of Tuesday, 17th May 2022

કેન્દ્રીય મંત્રી રૂપાલા બ્રાઝિલના પ્રવાસે : પશુપાલન અંગે વાટાઘાટ

રાજકોટ : ભારત સરકારના પશુપાલન ડેરી અને મત્સ્યપાલન મંત્રી શ્રી પરસોતમ રૂપાલા તા. ૧૬ થી ર૧ મે, ર૦રર સુધી બ્રાઝિલ દેશના પ્રવાસે છે. બંને દેશો વચ્ચે પશુપાલન ક્ષેત્રે પશુ સુધારણા અને આનુષાંગિક બાબતોમાં અદ્યતન ટેકનોલોજીનો અભ્યાસ તથા ઉત્તમ ટેકનોલોજીના બંને દેશો વચ્ચે સરળ આદાનપ્રદાન માટે તેઓ વાટાઘાટો કરશે. તસ્વીર તેમના બ્રાઝિલ પ્રવાસના સંભારણાની છે.

 

(4:11 pm IST)