આજે ૧૫૬૯ નવા કેસ અને ૧૯ સંક્રમિતોના મોત
એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧૬,૪૦૦ થઇ : કુલ મૃત્યુઆંક ૫,૨૪,૨૬૦ પર પહોંચ્યો : દેશમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો
નવી દિલ્હી તા. ૧૭ : ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના કેસમાં મોટો ઘટાડો થયો છે. આજે ૧૫૬૯ નવા કેસ અને ૧૯ સંક્રમિતોના મોત થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૪૪ ટકા છે. સોમવારે ૨૨૦૨ નવા કેસ અને ૨૭ મોત નોંધાયા હતા. રવિવારે ૨૪૮૭ નવા કેસ અને ૧૩ સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે ૨૮૫૮ નવા કેસ નોંધાયા અને ૧૧ લોકોના મોત થયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧૬,૪૦૦ થઈ છે. જયારે કુલ મૃત્યુઆંક ૫,૨૪,૨૬૦ પર પહોંચ્યો છે. દેશમાં ૪,૨૫,૮૪,૭૧૦ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૯૧,૪૮,૯૪૪ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૧૦,૭૮,૦૦૫ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧થી રસીકરણ શરૂ થયું હતું.