મુખ્ય સમાચાર
News of Tuesday, 16th January 2018

પોપ ફ્રાન્સિસના નીવેદનથી દુનિયા સ્તબ્ધ, કહ્યું "પરમાણુ યુદ્ધથી ફક્ત એક પગલું જ દૂર છે વિશ્વ"

વેટિકન : ખ્રિસ્તીઓના પ્રમુખ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસે જણાવ્યું હતું કે વિશ્વ અણુયુદ્ધથી ફક્ત એકજ ડગલું દુર છે. તેમણે પરમાણુ યુદ્ધની સંભાવનાના એક પત્રકારના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું કે, "આપણે તેનાથી બહુજ નજીક છીએ. હું આનાથી ઘણો ભયભીત છું ... માત્ર એક ભૂલ પરિસ્થિતિ બગાડી શકે છે." જો કે, તેમણે પોતાના નિવેદનમાં ઉત્તર કોરિયા અને અમેરિકી પ્રાંત હવાઈનો ઉલ્લેખ નહોતો કર્યો.

(8:26 pm IST)