News of Wednesday, 16th September 2020
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ફડણવીશએ કેન્દ્રીય વાણીજય મંત્રી પિયૂષ ગોયલને પત્ર લખી ડુંગળીની નિકાસ પર લાગેલ પ્રતિબંધ હટાવવાની માંગ કરી
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીશએ કેન્દ્રીય વાણીજય મંત્રી પિયૂષ ગોયલને પત્ર લખી ડુંગળીની નિકાસ પર લાગેલ પ્રતિબંધને તત્કાલ પ્રભાવથી હટાવવાની માંગ કરી છે. ફડણવીશએ કહ્યું મહારાષ્ટ્રની ડુંગળીની આંતરરાષ્ટ્રીય સ્તર પર માંગ હોય છે અને આનાથી મહારાષ્ટ્રના ખેડૂતોને ઉચિત ભાવ મળે છે નિકાસ પર પ્રતિબંધથી ખેડૂત દુખી છે.
(12:07 am IST)