News of Thursday, 15th February 2018
મહારાષ્ટ્રની શાળામાં નહેરૂની જેમ મોદીના જીવનપ્રસંગ પણ ભણાવાશે
મુંબઈ, તા.૧૫ : મહારાષ્ટ્રની શાળામાં વિદ્યાર્થીઓને હવે મહાત્મા ગાંધી, ડૉ.ભીમરાવ આંબેડકર અને જવાહરલાલ નહેરૂથી વધુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવનપ્રસંગ ભણાવવામાં આવશે. આ સંબંધી પુસ્તકો આ મહિના સુધીમાં શાળાઓમાં આવી જશે. શિક્ષા વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદી સાથે સંબંધી ૧,૪૯,૯૫૪ જ્યારે આંબેડકરના ૭૯,૩૮૮, તેમજ ગાંધીજીના ૪૩૪૩ તથા નહેરૂના ૧૬૩૫ પુસ્તકો ખરીદવામાં આવી રહ્યા છે. જ્યારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારીના પણ ૭૬,૭૧૩ અને શિવાજી મહારાજના ૩,૪૦,૯૮૨ પુસ્તકો છે.
(4:42 pm IST)