ધર્મ પરિવર્તન કર્યા પછી માતા-પિતાની જાતિ/ધર્મનો લાભ લેવો એ સજાપાત્ર ગણાશે : ઓછામાં ઓછી બે વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષની જેલ સજા થઇ શકશે : ઉપરાંત પચાસ હજાર રૂપિયાથી એક લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકશે : હિમાચલ પ્રદેશ વિધાનસભાએ ધર્મ સ્વતંત્રતા સંશોધન બિલ 2022 પસાર કર્યું
હિમાચલ પ્રદેશ : હિમાચલ પ્રદેશ વિધાનસભાએ 12 ઓગસ્ટ ના રોજ હિમાચલ પ્રદેશ ધર્મ સ્વતંત્રતા (સુધારા) બિલ, 2022 પસાર કર્યું, જે રાજ્યના 2019 વિરોધી ધર્માંતરણ કાયદાને વધુ કડક બનાવવા માંગે છે. આ બિલ, અન્ય બાબતોની સાથે, સામૂહિક ધર્માંતરણ, લગ્ન માટે ધર્મ છુપાવવા, ધર્મ પરિવર્તન પછી પણ માતા-પિતાની જાતિ/ધર્મનો લાભ લેવો વગેરેને દંડિત કરે છે. વિધેયક મુજબ અન્ય ધર્મમાં પરિવર્તન કરવા ઈચ્છતી કોઈપણ વ્યક્તિએ એક મહિના અગાઉ જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ જાહેર કરવું પડશે કે ધર્મ પરિવર્તન પછી તે માતા-પિતાની જાતિ/ધર્મનો લાભ લેશે નહીં.
એટલું જ નહીં, જે વ્યક્તિ ધર્માંતરણ પછી પણ તેના મૂળ ધર્મ અથવા જાતિનો લાભ લેવાનું ચાલુ રાખે છે, તો તેને બે વર્ષથી ઓછી ન હોય, પરંતુ પાંચ વર્ષ સુધી લંબાવી શકાય તેવી મુદત માટે કેદની સજા થશે. આ સાથે તેના પર દંડ લગાવવાની પણ જોગવાઈ હશે. જે પચાસ હજાર રૂપિયાથી ઓછો ન હોય અને જે એક લાખ રૂપિયા સુધીનો હોઈ શકે. નોંધનીય છે કે હાલના અધિનિયમ 2019માં એક જોગવાઈ (સેક્શન 3) છે જે કપટપૂર્ણ માધ્યમો, ખોટી રજૂઆત અથવા છેતરપિંડી દ્વારા એક ધર્મમાંથી બીજા ધર્મમાં પરિવર્તનને પ્રતિબંધિત કરે છે. જો કે, આ જોગવાઈ સામૂહિક ધર્માંતરણને દંડ કરતી નથી. હવે, સુધારો અધિનિયમ સામૂહિક ધર્માંતરણના ગુનાને સજા આપે છે. તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.