ગુરુવારે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા આવશે રાજકોટ: જન આશીર્વાદ યાત્રા શહેરની ચારેય વિધાનસભા બેઠકોમાંથી પસાર થશે
મનસુખભાઈ માંડવિયા ખોડલધામની મુલાકાતે પણ જશે:ભાજપના નેતાઓ સાથે મીટિંગ કરી ચર્ચાઓ કરશે.
અમદાવાદ : ગુજરાત વિધાનસભાને લઈ તમામ પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ભાજપના નેતાઓ ઉમેદવારોને રિઝવવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા 19 ઓગસ્ટના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ભાજપ સંગઠન દ્વારા 16થી 21 ઓગસ્ટ સુધી ગુજરાતમાં જન આશીર્વાદ યાત્રા કરવાના છે.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા 19 ઓગસ્ટના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ભાજપ દ્વારા શરુ કરવામાં આવેલ જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરશે. જો કે, આ જન આશીર્વાદ યાત્રા શહેરની ચારેય વિધાનસભા બેઠકોમાંથી પસાર થશે. માંડવિયાની જન આશીર્વાદ યાત્રા 21 ઓગસ્ટે ભાવનગરમાં સમાપ્ત થશે.
મનસુખભાઈ માંડવિયા ખોડલધામની મુલાકાતે પણ જશે ત્યારબાદ ભાજપના નેતાઓ સાથે એક મીટિંગ કરી ચર્ચાઓ કરવાના છે તેવી માહિતી મળી પ્રાપ્ત થઈ રહી છે. ત્યારબાદ કેબિનેટ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા 19 થી 21 ઓગસ્ટ સુધી અમરેલી સુધીની જન આશિર્વાદ યાત્રામાં ભાગ લેશે.