મુખ્ય સમાચાર
News of Tuesday, 13th February 2018

રાહુલ ગાંધીએ દરગાહમાં ચાદર ચઢાવી

આગામી ધારાસભા ચુંટણી પ્રચાર માટે કર્ણાટક પ્રવાસે પહોંચેલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતની રણનિતી મુજબ સોમવારે મુખ્યમંત્રી સિધ્ધારમૈયા સાથે રાયચૂર સ્થિત એક દરગાહ ખાતે પહોચ્યા હતા. ત્યાં તેમણે ચાદર ચઢાવી જીત માટે દુઆ માંગી હતી. જન આર્શીવાદ યાત્રા હેઠળ ત્રીજા દિવસે રાયચૂરથી કલબુર્ગી રવાના  થતા પહેલા રાહુલ ગાંધીએ જણાવેલ કે ભાજપના અમીતભાઈ શાહના પુત્રની ભ્રષ્ટ્રાચારની વાત કેમ નથી કરતા. જેમણે ફકત ત્રણ મહીનામાં ૫૦ હજારમાંથી ૮૦ કરોડ રૂપીયા બનાવી લીધા. તેમણે એ પણ ઉમેર્યુ કે ભાજપના નેતાઓ તેમને ચૂંટણી હિન્દુ કહી રહ્યા છે, પણ હું દરેક ધર્મના સ્થળોએ જાઉ છું. મને જે ધાર્મીક સ્થળે જવાનું સારૂ લાગે છે ત્યાં હું જાવ છુ, પછી તે મંદિર હોય કે મસ્જીદ હું જાવ છું.

(3:44 pm IST)