મુખ્ય સમાચાર
News of Sunday, 14th January 2018

યુ.કે.માં વસતા ગેરકાયદે ભારતીયોને દેશનિકાલ કરવા માટે ભારત સરકાર સહમતઃ યુ.કે.માં ભારત વિરોધ પ્રવૃતિઓ કરતા કાશ્‍મીરીઓ તથા શીખો ઉપર કન્‍ટ્રોલ કરવા લંડન સહમતઃ ભારતના જુનિયર હોમ મિનીસ્‍ટર કિરેન રિજ્જુ દ્વારા તૈયાર થઇ રહેલ MOU

લંડનઃ યુ.કે.સ્‍થિત ભારતીય મૂળના જુનીયર હોય મિનીસ્‍ટર શ્રી કિરેન રિજ્જુએ તાજેતરમાં જણાવ્‍યા મુજબ યુ.કે.માં વસતા ગેરકાયદે ભારતીયોને દેશનિકાલ કરવામાં ભારત સરકાર સહમત થયેલ છે. તેમજ યુ.કે.માં ભારત વિરોધ પ્રવૃતિઓ કરતા ખાલિસ્‍તાનવાદી શીખો તથા અલગ કાશ્‍મીરની માંગણી કરતા કાશ્‍મીરીઓને અટકાવવા તથા તેના ઉપર કન્‍ટ્રોલ કરવા લંડન સંમત થયુ છે.

આ બાબતે તેમણે યુ.કે. સરકારે સાથે વાટાઘાટ કરી ૨ MOU તૈયાર કર્યા છે. જે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી એપ્રિલ માસમાં યુ.કે.ની મુલાકાતે આવે ત્‍યારે સહી સિક્કા કરાશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:19 pm IST)