સઉદીમાં નિરાધાર બનેલી તેલંગાણાની મહિલાના પરિજનોએ સુષમા સ્વરાજ પાસે મદદ માંગી
હૈદરાબાદ : હૈદરાબાદી મહિલા કે જે સઉદી અરેબિયામાં નિરાધાર છે. તેના પરિવારજનોએ તેને ભારતમાં પાછી લાવવા માટે વિદેશમંત્રી સુષમા સ્વરાજને વિનંતી કરી છે. ભોગ બનનારી આ મહિલા પરવીન બેગમને બે શખ્સો દ્વારા સઉદીના અલ કાસિમની હોસ્પિટલમાં નોકરી અપાવવાનું વચન આપવામાં આવ્યું હતું. જો કે, જયારે તેણીની સઉદી પહોંચી ત્યારે તેણીને કામવાળી બાઇ તરીકે કામ કરવાની ફરજ પાડવામાં આવી. ભોગ બનનાર આ મહિલાની પુત્રી તસલીમ ફાતિમાએ જણાવ્યું કે, મારી માતા આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે નોકરી શોધી રહી હતી. બે એજન્ટો, મો.ઓસ્માન અને મો. મકસુદે અમારો સંપર્ક કર્યો અને અલ-કાસિમમાં આવેલી હોસ્પિટલનમાં નોકરીનો પ્રસ્તાવ મૂકયો ત્યારબાદ જયારે મારી માતા સઉદી પહોંચી તો તેમણે મારી માતાને કામવાળી બાઇ તરીકે કામ કરવાની ફરજ પાડી. ભોગ બનનાર મહિલાની પુત્રીએ ખેદ વ્યકત કરતા કહ્યું કે, મારી માતાને ત્યાં ભોજન પણ આપવામાં આવતું નથી. અને અમે તેને બચાવવા માટે ભારતીય સતાધીશોને વિનંતી કરી છે.