News of Tuesday, 13th February 2018
આજથી શરૂ થશે રામરાજય રથયાત્રા
અયોધ્યાથી રામેશ્વર સુધીની રામરાજય રથયાત્રા આજે શરૂ થવાની છે. રામમંદિર જન્મભૂમિ મંદિરના મોડલ પર બનેલા આ રથની તૈયારી ગઇ કાલે સાધુઓએ અયોધ્યામાં કારસેવકપુરમ ખાતે તપાસી હતી. ચાર રાજયોમાંથી પસાર થનારી આ રથયાત્રા ૩૯ દિવસ ચાલશે. કેન્દ્રના ગૃહમંત્રાલયે રથયાત્રાની સલામતી માટે જે-તે રાજયોના પોલીસ ચીફને ખાસ સૂચના આપી છે.
(3:50 pm IST)