૧૧૦ પ્લાન્ટમાં કોલસો ખૂટ્યો : ૧૬માં એક દિવસનો સ્ટોક
અંધારામાં વીતશે દિવાળી ? દેશમાં ગંભીર વીજ સંકટના એંધાણ
નવી દિલ્હી,તા. ૧૨: દેશમાં કોલસાનું ગંભીર સંકટ સર્જાયું હોવાથી આગામી તહેવારો અંધારામાં વીતે તો નવાઈ નહીં. દેશની ઘણી વીજળી કંપનીઓની સામે કોલસાનું સંકટ સર્જાયું છે. દિલ્હી, પંજાબ, કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક સરકારોએ કેન્દ્ર સરકારને બગડી રહેલી સ્થિતિથી વાકેફ કરી ચૂકયા છે.
સેન્ટ્રલ ઈલેકટ્રીસિટી ઓથોરિટીના ૭ ઓકટોબરના રિપોર્ટ અનુસાર દેશના ૧૩૫માંથી ૧૧૦ પ્લાન્ટમાં કોલસાની તીવ્ર અછત ઊભી છે અને ૧૬ પ્લાન્ટની પાસે તો એક દિવસ ચાલે તેટલો જ કોલસો છે. ૩૦ પ્લાન્ટની પાસે ફકત ૧ દિવસનો કોલસો બચ્યો છે એટલે પરિસ્થિતિ ગંભીર છે તેમાં હરિયાણા, મહારાષ્ટ્રના ૩ પ્લાન્ટ્ એવા છે જયાં એક દિવસનો પણ કોલસો બચ્યો નથી.
દેશની ઘણી વીજ કંપનીઓ કોલસાના જથ્થાની કટોકટીનો સામનો કરી રહી છે. કહેવાય છે કે આને કારણે દેશના ઘણા રાજયોમાં વીજળીનું સંકટ આવ્યું છે. જોકે આ મુદ્દે કેટલીક રાજય સરકારો અને કેન્દ્ર સરકારના દાવાઓ વચ્ચે દ્યણો તફાવત છે. સવાલ એ છે કે આવતા મહિનાની શરૂઆતમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. આવી જ એક ચિંતા એ છે કે આ વર્ષે દિવાળી અંધારામાં પસાર નહીં થાય
માત્ર ભારત જ નહીં પરંતુ ચીન, યુરોપ અને અમેરિકામાં પણ વીજળી સંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે. દર વર્ષે ઉપરથી ઓકટોબરથી વીજળીની માંગ વધવા લાગે છે. દિલ્હી, પંજાબ, કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટકની સરકારોએ કેન્દ્રને કથળતી પરિસ્થિતિ અંગે ચેતવણી આપી છે. એટલું જ નહીં કેરળ, મહારાષ્ટ્રે નાગરિકોને વીજળીનું કાળજીપૂર્વક સેવન કરવાની અપીલ કરી છે. તો, શું ભારત વીજળીસંકટ તરફ આગળ વધી રહ્યું છે? શું ચીનના જેવા દેશના દ્યણા ભાગોમાં અંધકાર હોઈ શકે છે?.