News of Saturday, 12th September 2020
મરાઠા આરક્ષણની મંજુરી માટે અધ્યાદેશ લાવવા પર થઇ રહેલા વિચાર : મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે
નવી દિલ્હી : સુપ્રિમ કોર્ટ દ્વારા સરકારી નોકરીઓ અને કોલેજોમાં મરાઠા આરક્ષણ પર પ્રતિબંધ લગાવ્યા પછી મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ કહ્યું કે મરાઠા આરક્ષણ બહાલ કરવા માટે અધ્યાદેશ લાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ઉધ્ધવએ કહ્યું મરાઠા સમુદાયને ન્યાય આપવા માટે જે પણ કરવું હશે બધાને વિશ્વાસમાં લઇ તે બધુ કરશે.
(10:26 pm IST)