News of Thursday, 11th August 2022
પેટ્રોલમાં ઇથેનોલ મેળવવાથી દેશને રૂા. ૫૦,૦૦૦ કરોડની બચત
પાનીપત (હરિયાણા),તા. ૧૧ : વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેમની સરકારે છેલ્લા સાતથી આઠ વર્ષમાં પેટ્રોલ સાથે ઈથેનોલ ભેળવીને દેશ માટે વિદેશી હુંડિયામણમાં રૂ. ૫૦,૦૦૦ કરોડની બચત કરી છે. આ રકમ વિદેશમાં જતા અટકાવી છે અને આ હજારો કરોડ રૂપિયા આપણા દેશના ખેડૂતોની સેવામાં ઉપયોગમાં લગાડી શકાયા છે.
(10:33 am IST)