દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૪,૯૭૩ કેસ નોંધાયા
૨૬૦ના મોત : ગઇકાલ કરતા ફરી કોરોનાનો ગ્રાફ ઘટયો
નવી દિલ્હી તા. ૧૦ : દેશમાં કોરોનાના ૩૪,૯૭૩ નવા કેસ નોંધાયા છે. તે જ સમયે ૩૭૬૮૧ લોકો તેમાંથી સાજા થયા છે, જયારે ૨૬૦ લોકો મૃત્યુ પામ્યા છે. જોકે ગુરૂવારે આ આંકડો ઘટ્યો છે. અગાઉ ગુરૂવારે કોરોનાના ૪૩,૨૬૩ નવા કેસ નોંધાયા હતા.
છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કુલ ૧૮,૧૭,૬૩૯ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ટેસ્ટની સંખ્યા વધીને ૫૩,૬૮,૧૭,૨૪૩ થઇ ગઇ છે. દૈનિક પોઝિટિવ રેટ ૨.૩૮ ટકા રહ્યો છે. જયારે સાપ્તાહિક પોઝિટીવ રેટ ૨.૪૩ ટકા રહ્યો છે. જે છેલ્લા ૭૬ દિવસથી ત્રણ ટકાની નીચે રહ્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૩૩૮ લોકોના મોત થયા છે. જે પૈકી ૧૮૧ મોત કેરળમાં અને ૬૫ મોત મહારાષ્ટ્રમાં થયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાને કારણે કુલ ૪,૪૧,૭૪૯ લોકોનાં મોત થયા છે. જે પૈકી સૌથી વધુ ૧,૩૭,૯૬૨ મોત મહારાષ્ટ્રમાં થયા છે.