મુખ્ય સમાચાર
News of Friday, 10th September 2021

લોકપાલના નિર્ણય સામે અપીલ કે સમીક્ષાની મંજૂરી અપાશે નહીં :કાયદામાં જોગવાઇ નથી

કોઈપણ નિર્ણય સામે અપીલ અથવા સમીક્ષા માટેની વિનંતીઓને મંજૂરી મહીં અપાઈ

નવી દિલ્હી :લોકપાલે સ્પષ્ટ કર્યું હતું કે તેના કોઈપણ નિર્ણય સામે અપીલ અથવા સમીક્ષા માટેની વિનંતીઓને મંજૂરી આપવામાં આવશે નહીં. લોકપાલ કાયદામાં ફરિયાદી માટે અપીલ અથવા સમીક્ષા માટે અરજી દાખલ કરવાની કોઈ જોગવાઈ નથી.

લોકપાલ દ્વારા આ સ્પષ્ટીકરણ જારી કરાયા બાદ ફરિયાદીઓ દ્વારા અપીલ, સમીક્ષા અથવા તેના દ્વારા પસાર કરાયેલા આદેશની પુનર્વિચાર માટે અરજીઓ મોકલવાના કેટલાક કિસ્સાઓ ધ્યાને આવ્યા હતા. લોકપાલે એક નોટિસ જારી કરી હતી કે લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ, 2013 માં ભારતના લોકપાલની કોઈપણ બેન્ચ દ્વારા પસાર કરાયેલા આદેશોની અપીલ, સમીક્ષા અથવા પુનર્વિચારણા માટે કોઈ જોગવાઈ નથી. તેથી તમામ સંબંધિતોને જાણ કરવામાં આવે છે કે ભારતના લોકપાલ દ્વારા કોઈ પણ આદેશની સમીક્ષા અથવા પુનર્વિચારણા માટે કોઈ અપીલ અથવા વિનંતી કરવામાં આવશે નહીં.

સંસદીય સમિતિ દ્વારા અપીલ અથવા સમીક્ષા પર વિચાર કરવામાં આવ્યો હતો અને માર્ચમાં કર્મચારી અને તાલીમ વિભાગ (ડીઓપીટી) ને સંબંધિત કાયદામાં સુધારાની શક્યતા શોધવા માટે કહેવામાં આવ્યું હતું જેથી લોકપાલને તેના આદેશો પર પુનર્વિચાર અને સમીક્ષા કરવાની સત્તા પૂરી પાડી શકાય. .

લોકપાલે સમિતિને જાણ કરી હતી કે તેણે યોગ્ય તબક્કે લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમમાં સુધારો કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા માટે DoPT ને વિનંતી કરી છે જેથી તેના દ્વારા પસાર થયેલા આદેશોની સમીક્ષા કરવાની સત્તા લોકપાલ કાયદામાં સમાવી શકાય.

(12:25 am IST)