વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યની આગેવાની નીચે સંસદીય કાર્યરીતિના આદાનપ્રદાન માટે ગુજરાતનું પ્રતિનિધિ મંડળ ઉત્તરપ્રદેશના પ્રવાસે : યોગી આદિત્યનાથ સાથે મુલાકાત
ભુજઃ વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યની રાહબરી હેઠળ મુખ્યદંડક પંકજભાઇ દેસાઇ, રા.ક.ના મંત્રી મનીષાબેન વકીલ તેમજ અન્ય ધારાસભ્યશ્રીઓ સંગીતાબેન પાટીલ, માલતીબેન મહેશ્વરી, કિરીટભાઇ પટેલ અને રમણભાઇ પટેલ સાથેનું સંસદીય પ્રતિનિધી મંડળ સંસદીય કાર્યરીતિના આદાનપ્રદાન માટે તા. ૯ થી ૧૩મી જૂન-૨૦૨૨ દરમિયાન ઉત્તરપ્રદેશ રાજ્યના અભ્યાસ પ્રવાસે ગયેલ છે. આ પ્રતિનિધી મંડળે ઉત્તરપ્રદેશ વિધાનસભાની મુલાકાત લીધી હતી અને ઉત્તરપ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ સતીષ મહાનાજી સાથે શુભેચ્છા મુલાકાત કરી અને સંસદીય કાર્યરીતિ બાબતમાં વિચાર વિમર્શ કર્યો. ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી સાથે શુભેચ્છા મુલાકાત લીધી અને ઉત્તરપ્રદેશ સરકારની વિવિધ યોજનાઓ અંગે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. (તસ્વીર-અહેવાલ : વિનોદ ગાલા -ભુજ)