મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

ગુજરાતી લિટરરી સોસાયટી ઓફ USAના ઉપક્રમે એટલાન્ટામાં ૧૦ ફેબ્રુ.ના રોજ શ્રધ્ધાંજલી સભા : સદ્ગત કવિશ્રી પ્રો. નિરંજન ભગત તથા ગઝલ સમ્રાટ શ્રી જલન માતરીને શ્રધ્ધાસુમન અર્પણ કરાશે

એપ્લાન્ટા : ગુજરાતી લિટરરી  સોસાયટી ઓફ USAના ઉપક્રમે એટલાન્ટામાં ગ્લોબલ મોલ સ્યુટ ૬૬પ ખાતે ૧૦ ફુબ્ર. ર૦૧૮, શનિવારના રોજ બપોરે ૧ વાગ્યાથી ર.૩૦ દરમિયન શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરાયું છે.

 

છેલ્લા બે અઠવાડિયાના ટુંકાગાળામાં ગુજરાતી સાહિત્ય જગતે બે વિરાટ પ્રતિભાઓ કવિશ્રી પ્રો. નિરંજન ભગત તથા ગઝલ સમ્રાટ શ્રી જલન માતરીને ગુમાવતા તેમને કાવ્ય પુષ્પો દ્વારા શ્રધ્ધાંજલી આપવા એટલાન્ટમાં વસતા સાહિત્ય પ્રેમીઓને આમંત્રિણ કરાયા છે.

આ પ્રસંગે કવિતા મેગેઝીનના સંપાદકશ્રી રમેશભાઇ પુરોહિત આ બન્ને સદ્ગત સાહિત્યકારોના સંસ્મરણો રજૂ કરશે ત્યારબાદ બંને કવિઓની કવિતાઓનું પઠન કરાશે.

આ સભામાં સામેલ થવા એલ.ડી.આર્ટસ કોલેજ તથા સેન્ટ ઝેવિઅર્સ કોલેજ અમદાવાદના વિદ્યાર્થીઓને ખાસ હાજરી આપવા જણાવાયું છે. તેવું શ્રી મુસ્તફા અજમરેલી એટલાન્ટ જયોર્જીયા (૬૭૮-૪૬૩-૬૬૧૩) ની યાદીમાં જણાવાયું છે.

(1:21 pm IST)