News of Thursday, 9th February 2023
હિમાચલ પ્રદેશમાં ઝુંપડપટ્ટીમાં આગથી ૪ ના મોતઃ એક જ પરિવારના ત્રણ બાળકો જીવતા ભૂંજાયા
ઉના (હિમાચલપ્રદેશ): હિમાચલ પ્રદેશના ઉનાના ગગરેટ ઔદ્યોગિક વિસ્તારમાં સોમભદ્રા તટીકરણ પર બનેલ રાજયના મજૂરોની ઝુંપડીઓમાં દુર્ઘટનાની જાણ થતા જ પ્રશાસન ઘટના સ્થળે પહોંચીને રાહત કાર્ય શરૂ કરી દીધું હતું.
પ્રશાસનની રાહત પહોંચે ત્યાં સુધીમાં ચાર બાળકો મરી ચૂકયા હતા. દુર્ઘટનાની જાણ થતા જ ગગરેટના ધારાસભ્ય ચૈતન્ય શર્મા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
માહિતી અનુસાર, આ બધા રાજયના મજૂરો હતા અને આ વિસ્તારમાં કામ કરે છે. આ આગમાં એક જ પરિવારના ત્રણ બાળકો જીવતા સળગી ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગના કારણોની તપાસ શરૂ કરી છે.
(3:29 pm IST)