હવે રાજીવ ગાંધી કેન્સર ઈન્સ્ટિટ્યૂટમાં ગરીબ દર્દીઓની મફત સારવાર થશે: દિલ્હી હાઈકોર્ટે આપ્યો નિર્દેશ
ન્યુદિલ્હી :રાજીવ ગાંધી કેન્સર ઈન્સ્ટિટ્યૂટે બુધવારે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે તે 1 માર્ચથી હોસ્પિટલના આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ (OPD)માં 25 ટકા અને હોસ્પિટલના ઈન્ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ (IPD)માં 10 ટકા સુધી ગરીબ દર્દીઓને મફત સારવાર આપશે.
હોસ્પિટલના વકીલે જાહેર હિતની અરજી (PIL) પર ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ નિવેદન આપ્યું હતું. અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સંસ્થાએ છેલ્લા બે દાયકામાં ગરીબ દર્દીઓને મફત સારવાર આપી નથી.
કોર્ટે હોસ્પિટલના સ્વૈચ્છિક વલણની નોંધ લીધી અને ગરીબોને મફત સારવાર આપવાનો નિર્દેશ આપ્યો. બેન્ચે જણાવ્યું હતું કે, “નિવેદનની નોંધ લેતા, હોસ્પિટલને EWS (આર્થિક રીતે નબળા વિભાગ) દર્દીઓની OPDમાં 25 ટકા અને IPDમાં 10 ટકા સુધીની મફત સારવાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.