લગ્ન પછી પત્ની નોકરી કરવા ઈચ્છતી હોય તો તે ક્રૂરતા નથી : બોમ્બે હાઈકોર્ટે પતિને છૂટાછેડા આપવાનો ઈન્કાર કર્યો : પતિએ સાબિત કરવું પડશે કે પત્ની સાથે જીવવું મુશ્કેલ બનશે
નાગપુર : એક મહત્વપૂર્ણ ચુકાદામાં, બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે જણાવ્યું છે કે જો કોઈ પત્ની કામ પર જવાની ઈચ્છા વ્યક્ત કરે છે, તો તે હિંદુ લગ્ન અધિનિયમની કલમ 13 હેઠળ ક્રૂરતા સમાન નથી. [પુંડલિક યેવતકર વિ ઉજવલા @ શુભાંગી યેવતકર]
કોર્ટે કહ્યું કે પતિએ એક ચોક્કસ કેસ બનાવવો પડશે કે પત્નીનું વર્તન એવું હતું કે તેની સાથે જીવન જીવવું તેના માટે મુશ્કેલ હતું.
જસ્ટિસ અતુલ ચાંદુરકર અને ઉર્મિલા જોશી-ફાળકેની બેન્ચ પતિની છૂટાછેડાની અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેની પત્ની કામ પર જવા માંગતી હોવાથી તેની સાથે વારંવાર ઝઘડો કરતી હતી અને આ રીતે તેણે તેને ધમકી આપી હતી કે જ્યાં સુધી તેને સુરક્ષિત નોકરી નહીંત્યાં સુધી તે સંતાનને જન્મ નહીં આપે તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.