મુખ્ય સમાચાર
News of Thursday, 4th March 2021

વોડાફોન-આઇડીયા 'વી' ના ગ્રાહકોને રિચાર્જ સાથે હવે વિમાનો પણ લાભ મળશેઃ આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે કરાર

ટેલીકોમ કંપનીએ સામાન્ય યૂઝર્સને વીમો આપવા માટે આદિત્ય બિરલા હેલ્થ ઈન્શ્યોરન્સ (Aditya Birla Health Insurance) કંપની સાથે કરાર કર્યો છે. એટલે કે બે રિચાર્જ પ્લાનની સાથે આદિત્ય બિરલા વીમો ઉપલબ્ધ કરાવશે.

વીએ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે અલગ ઓફર રજૂ કરી છે. કંપનીએ પોતાના પ્રીપેડ ગ્રાહકોને મોબાઇલ રિચાર્જની સાથે હેલ્થ ઈન્શ્યોરન્સ આપવાનો નિર્ણય લીધો છે. તે માટે કંપનીએ 51 રૂપિયા અને 301 રૂપિયાનો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. 

કંપનીએ આપેલા નિવેદનમાં કહ્યું કે, નવા રિચાર્જ પ્લાનનું નામ Vi Hospicare હશે. આ યોજનાનો ફાયદો પ્રીપેડ ગ્રાહક લઈ શકે છે. 

જાણકારી પ્રમાણે 51 રૂપિયા અને 301 રૂપિયાના આ બે પ્લાનમાં યૂઝર્સને 1000 રૂપિયાનો હેલ્થ ઈન્શ્યોરન્સ આપવામાં આવી રહ્યો છે. આ 24 કલાક હોસ્પિટલમાં દાખલ થવા માટે વેલિડ હશે. 

51 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને 500 SMS ફ્રી આપવામાં આવી રહ્યાં છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. 301 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. સાથે દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં ાવી રહ્યો છે. યૂઝર્સ 100 એસએમએસ કરી શકે છે. તેની વેલિડિટી 28 દિવસની છે. 

(6:31 pm IST)