મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

સાવધાન...ચેક બાઉન્સ નિયમો વધુ કડક થશે

સરકારે લોકસભામાં રજુ કર્યો ખરડોઃ આકરી જોગવાઇઓ : અપીલ દરમિયાન જ ચેક પર લખેલી રકમના ર૦ ટકા સુધીનું વળતર આપવાની જોગવાઇ

નવી દિલ્હી તા.૩ : ચેક બાઉન્સ વિરૂધ્ધ કાયદાને કડક બનાવવા અંગેનો ખરડો સરકારે લોકસભામાં રજુ કર્યો છે. નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ સુધારા વિધેયક ર૦૧૭માં એવી જોગવાઇ કરવામાં આવી છે જેનાથી ચેકની વિશ્વનીયતા સુદ્રઢ બનશે. આમા ચેક બાઉન્સ થવાની સ્થિતિમાં જ અપીલ દરમિયાન જ ચેક પર લખેલ રકમના ર૦ ટકા સુધીનું વળતર અપાવવાની જોગવાઇ છે.

નાણા રાજય મંત્રી શિવપ્રતાપ શુકલાએ ગૃહમાં ખરડો રજુ કર્યો હતો જેમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ૧૮૮૧માં ફેરફારો કરવાની જોગવાઇ છે. ખરડાના ઉદ્દેશો અને કારણોમાં જણાવાયુ છે કે, ચેક અનાદરના મામલાના અંતિમ સમાધાનમાં લાંબો વિલંબ થાય છે તેને હલ કરવાની દ્રષ્ટિથી ઉકત એકટમાં સંશોધન કરવાનો પ્રસ્તાવ છે. આનો હેતુ ચેક પ્રાપ્ત કરનારને રાહત પ્રદાન કરવી અને બીનજરૂરી વિલંબને હતોત્સાહીત કરવાનો છે. આનાથી સમય અને નાણા બંનેની બચત થશે.

સંશોધિત ખરડામાં એક નવી કલમ ૧૪૩ (ક)ને સામેલ કરવા જણાવાયુ છે. ચેક લેનાર બાઉન્સ થવાની સ્થિતિમાં કોર્ટમાં અરજી કરી શકે છે અને જેના પર કોર્ટ વચગાળાની રાહત આપવાનો આદેશ આપી શકે છે. આ પ્રકારની વચગાળાની રાહતની રકમ એટલી હશે કે જે ચેકની રકમના ર૦ ટકાથી વધુ ન હોય. આમા ચેક લેનાર વ્યકિત દોષ સિધ્ધિ માટે કોર્ટમાં અપીલ કરી શકે છે.(૩-૧)

(10:04 am IST)