News of Saturday, 3rd February 2018
પદ્મવત ફિલ્મનો વિરોધ પાછો લેવાયાના પ્રસિદ્ધ થયેલા પત્રને ખોટો ઠેરવતા કરણી સેનાના સંરક્ષક શ્રી કાલવી : કહ્યું ' અમારો વિરોધ ચાલુજ રહેશે'
જયપુર : કરણી સેના સંરક્ષક લોકેન્દ્રસિંઘ કાલ્વીએ જણાવ્યું હતું કે કરણી સેના દ્વારા ફિલ્મ પદ્માવતનો વિરોધ ચાલુજ રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે સંસ્થાએ આ ફિલ્મ નો વિરોધ પાછો ખેંચી લીધો છે તેમ કેહવાય છે, તે સંસ્થા 'અસલી કરણી સેના' નથી.
આ સાથેજ, રાષ્ટ્રીય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહે પણ જણાવ્યું હતું કે તેમના સંગઠન દ્વારા પદ્માવત ફિલ્મનો વિરોધ પાછો ખેચાયો છે એવું લખેલો પત્ર જે સામે આવ્યો છે, તે પત્ર નકલી છે અને અમારું સંગઠન પણ ફિલ્મ પદ્માવતનો વિરોધ ચાલુજ રાખશે અને લોકોએ આવા બનાવટી પત્રથી ભરમાવવું નહી.
(7:55 pm IST)