આખરે રદ થઇ ગયા કૃષિ કાયદા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લગાવી મોહર
નવી દિલ્હી,તા.૨: કૃષિ કાયદાને રદ કરવાના બિલ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની અંતિમ મોહર લગાવી દીધી છે. આ સાથે જ ત્રણ કૃષિ કાયદા હવે ઔપચારિક રીતથી રદ થઈ ગયા છે. આ પહેલા શિયાળુ સત્રના પહેલા જ દિવસે ૨૯ નવેમ્બરના સાંસદના બંને સદન લોકસભા અને રાજયસભામાં ત્રણ કૃષિ કાયદાને રદ કરવાનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલના વિરોધમાં એક વર્ષથી રાજધાની દિલ્હીની સીમાઓ પર ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા.
સોમવારના લોકસભામાં કૃષિ કાયદાને રદ કરવાનું બિલ પસાર કરાવવામાં આવ્યું હતું, ત્યારબાદ રાજયસભામાંથી પણ પસાર કરાવવામાં આવ્યું છે. સંસદના સભ્યોના ભારે હોબાળા વચ્ચે ધ્વનિ મત દ્વારા બિલ પસાર કરવામાં આવ્યા હતા. બિલ રદ કરવા પર વિપક્ષનું કહેવું હતું કે, પાંચ રાજયોમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં નુકસાનથી બચવા માટે સરકાર દ્વારા આ પગલાં ઉઠાવવામાં આવ્યા છે, જયારે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે તેમના નિવેદનમાં કહ્યું કે, સરકાર કૃષિ કાયદા વિશે ખેડૂતોને સમજાવવામાં સફળ થઈ શકી નહીં એટલા માટે પીએમએ કાયદા પાછા ખેંચી લેવાની ખાનદાની દર્શાવી.
તો બીજી તરફ, બુધવારના સિંધુ બોર્ડર પર યોજાનાર ખેડૂતોના ૪૦ સંગઠનોની બેઠક રદ કરવામાં આવી છે. સંયુકત કિસાન મોરચાના કેટલાક સંગઠનોએ આ બેઠકથી દૂર રહેવાનો પ્રયત્ન કર્યોછે. કહેવામાં આવી રહ્યું છે કે, સંયુકત કિસાન મોરચાની બેઠક ૪ ડિસેમ્બરના યોજાશે, જેમાં આંદોલન પૂર્ણ કરવું કે નહીં તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.
કૃષિ કાયદાને રદ કર્યા બાદ દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા આંદોલનને પાછું ખેંચવાને લઇને ખેડૂત સંગઠનોમાં ભારે મતભેદ સામે આવ્યો છે. ખેડૂતોની એક ટૂકડી આંદોલન પરત ખેંચવાના મૂડમાં છે, જયારે બીજી ટૂકડી સરકાર પાસે પ્લ્ભ્ પર ગેરેન્ટી આપવાની માંગ કરી રહી છે.