કનૈયાલાલની હત્યાનુ કનેકશન પાકીસ્તાન બાદ કાનપુરથી સામે આવ્યુ : એન.આઈ.એ દ્વારા દાવત-એ-ઈસ્લામી પર સકંજો કસવામાં આવ્યો
કનૈયાલાલની હત્યાનો આરોપી દાવત-એ-ઈસ્લામી સાથે સંકળાયેલ હોવાથી આ સંગઠન દ્વારા ભારતમાં હિંસાને ફેલાવવાનાં પ્રયાસો થતા હોવાની શંકાને આધારે એન.આઈ.એ. દ્વારા તપાસ શરૂ કરાઈ
નવી દિલ્લી તા. ૦૧ : ઉદયપુરમાં માર્યા ગયેલ કનૈયાલાલની હત્યાની તપાસ તેજ બની છે. જેમાં દિ વસેને દિ વસે અલગ-અલગ ખુલાસાઓ થઈ રહ્રયા છે. જેને પગલે એન.આઈ.એ. દ્વારા પણ હત્યા પાછળનાં આતંકી સંગઠનો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે જાણવા ંમળતી વિ ગતો મુજબ, આરોપી રિ યાઝ કાનપુરનાં દાવત-એ-ઇસ્લામી સંગઠન સાથે પણ સંપર્કમાં હતો અને આ સંગઠન પણ પાકિ સ્તાન સાથે સંપર્કમાં હોવાનુ જાણવા મળ્યુ હતુ. તેથી એન.આઈ.એ. દ્વારા આ સંગઠ પર સકંજો જમાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે કાનપુરમાં દાવત-એ-ઈસ્લામીનો એક મરકઝ છે. આરોપી મોહમ્મદ રિયાઝ આ સંસ્થા સાથે સંકળાયેલો હતો.
આ સંગઠનનું હેડક્વાર્ટર પાકિસ્તાનમાં છે અને ક્યાંક ને ક્યાંક ભારતમાં હિંસા ફેલાવવાના પ્રયાસો સાથે જોડાયેલી વાતો સામે આવી રહી છે.
કન્હૈયા લાલની હત્યા બાદ રિયાઝે જે રીતે સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કર્યો હતો, તે પછી દાવત-એ-ઈસ્લામી સંગઠન શંકાના દાયરામાં આવ્યું હતું. કાનપુર પોલીસ દાવત-એ-ઈસ્લામીના ડાયરેક્ટર સરતાજને શોધી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેના ઘરે દરોડા પડી શકે છે. કાનપુર પોલીસે મદદ માટે NIAનો પણ સંપર્ક કર્યો છે.
સરતાજ તલાક મહેલનો રહેવાસી છે. મુસ્લિમ વિસ્તારોમાં આ સંગઠનના લગભગ 50 હજાર સમર્થકો છે. દાવત-એ-ઇસ્લામીનો પહેલો મરકઝ કર્નલગંજ સ્થિત મસ્જિદમાં બનાવવામાં આવ્યો હતો, ત્યારબાદ કર્નલગંજ વિસ્તારની લક્કરમંડીમાં સ્થિત મસ્જિદમાં. પોલીસ ટીમે કાનપુરમાં એક અને ઉન્નાવમાં ત્રણ મદરેસાઓમાં કુલ 4 મદરેસાની મુલાકાત પણ લીધી હતી.
આ દરમિયાન, કાનપુર સ્થિત સૂફી ખાનકાહ એસોસિયેશનના પ્રમુખ મોહમ્મદ કૌસર હસન મજીદીને એક ફોન કોલ આવ્યો હતો, જેમાં ઉદયપુરની ઘટનાની નિંદા કરવામાં આવી હતી અને સુન્ની ઇસ્લામિક સંગઠન 'દાવત-એ-ઇસ્લામી' વિરુદ્ધ અભિયાન શરૂ કરવા માટેના ભયંકર પરિણામોની ધમકી આપવામાં આવી હતી. આ માહિતી પોલીસે આપી હતી. મજીદીએ જૂહી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને કાનપુરમાં દાવત-એ-ઈસ્લામીની ગતિવિધિઓની તપાસની માંગ કરી હતી.
તેમણે, પ્રવક્તા તરીકે, ઉદયપુરની ઘટનાની પણ નિંદા કરી હતી કારણ કે તેમના મોબાઇલ ફોન પર એક અજાણ્યા કોલર દ્વારા તેમને ગંભીર પરિણામોની ધમકી આપવામાં આવી હતી. પોલીસે કહ્યું કે તેઓ આ કેસના સંબંધમાં માજીદીની ફરિયાદની તપાસ કરી રહ્યા છે. મજીદીએ આ પહેલા 2021માં કાનપુરમાં દાવત-એ-ઈસ્લામીના ઓપરેશનની તપાસ અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયને ફરિયાદ કરી હતી.