જુનાગઢ ભારતી આશ્રમના મહામંડલેશ્વર પૂ. હરિહરાનંદ ભારતીબાપુ બે દિવસથી લાપતા : ભારે ચિંતા
મોબાઈલ સ્વીચ ઓફ આવતા સેવકો દ્વારા શોધખોળ
(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨ : જુનાગઢ ભારતી આશ્રમના મહામંડલેશ્વર પૂ. હરિહરાનંદ ભારતીબાપુ બે દિવસથી લાપતા થતા ભારે ચિંતા ફેલાઈ ગઈ છે.મોબાઈલ સ્વીચ ઓફ આવતા સેવકો દ્વારા શોધખોળ શરૂ કરાઈ છે.
ભારતી આશ્રમના લધુ મહંત મહાદેવ ભારતી બાપુએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલા અમદાવાદ થી કેવડીયા ભારતી આશ્રમ જવા નીકળેલ. પૂ.હરિહરાનંદબાપુ બરોડા ખાતે તેમના સેવકને ત્યાં રોકાયા હતા ત્યાંથી નીકળી રસ્તામા કપૂરી ચોકડી ખાતે ગાડી ઉભી રખાવી તેમની સાથે રહેલ સોમાનંદ ભારતી અને ડ્રાઇવર ને કીધું હતું કે તમે અહીથી જાવ મારે કામ છે હું તમને ફોન કરું ત્યારે આવજો. બાદમાં ફોન બંધ આવતા બીજે દિવસે મહાદેવ ભારતી બાપુ સહિતના સેવકોએ શોધખોળ શરૂ કરી છે પરંતુ હજુ સુધી કોઈ પત્તો ન મળતા ભારે ચિંતા ફેલાઈ ગઈ છે.