આસામમાં ભારે પૂરના કારણે સ્થિતિ વણસી: વધુ 12 લોકોના મોત : અત્યાર સુધીમાં 151 લોકોના મોત; 31 લાખથી વધુ લોકો પ્રભાવિત
કચરના સિલચર શહેરના ઘણા વિસ્તારો 11 દિવસથી વધુ સમયથી ડૂબી ગયા: બેકી, કોપિલી, બરાક અને કુશિયારા સહિત અનેક સ્થળોએ બ્રહ્મપુત્રા નદી ખતરાના નિશાનથી ઉપર
ગૌહાતી :આસામમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે, જ્યાં આ કુદરતી આફતથી 31 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, કચરના સિલચર શહેરના ઘણા વિસ્તારો 11 દિવસથી વધુ સમયથી ડૂબી ગયા છે. આ વર્ષે રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક વધીને 151 પર પહોંચી ગયો છે.
હાલમાં 26 જિલ્લામાં પૂર પ્રભાવિત લોકોની સંખ્યા વધીને 31.54 લાખ થઈ ગઈ છે જે ગઈકાલ સુધીમાં 24.92 લાખ હતી. બેકી, કોપિલી, બરાક અને કુશિયારા સહિત અનેક સ્થળોએ બ્રહ્મપુત્રા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. જોકે બીજી ઘણી નદીઓમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે.
મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ડેપ્યુટી કમિશનરો સાથે ડિજિટલ સંવાદ કર્યો અને અસરગ્રસ્ત લોકોને વહેલી તકે રાહત અને પુનર્વસન પૂરું પાડવા જણાવ્યું.