Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

નારાજ જસ્ટિસ બોલ્યા- 'અમે ઇચ્છીએ છીએ કે ન્યાયપાલિકા મજબૂત બને'

'મુદ્દાનું સમાધાન લાવવાનો પ્રયાસ કરવામાં આવેઃ સમસ્યા ઘણી મોટી છે, અમે તેનું સમાધાન ઇચ્છીએ છીએઃ તેના કારણે જ અમારી તમામ પરંપરાઓ તોડીને પ્રેસ કોન્ફરન્સ કરી હતી'

નવી દિલ્હી તા. ૧૮ :સુપ્રીમ કોર્ટમાં ન્યાયધીશોની વરિષ્ઠતા ક્રમમાં બીજા નંબરે આવતા જસ્ટિસ ચેલામેશ્વરે બુધવારે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે જયુડિશરી મજબૂત બને અને દેશની સેવા કરે. જસ્ટિસ ચેલામેશ્વરે તે ચાર જજોમાં સામેલ હતા જેમણે સંવેદનશિ મામલાને વિવિધ બેંચ પાસે મોકલવાની વ્યવસ્થા મામલે મુખ્યાય ન્યાયાધીશ જસ્ટીસ દીપક મિશ્રા દ્વારા કરાત મતભેદની વાત કરી હતી.

જસ્ટિસ ચેલામેશ્વરે અમારા સહયોગી અખબાર ઈકોનોમિક ટાઈમ્સને કહ્યું, 'મુદ્દાનું સમાધાન લાવવાનો  પ્રયાસ કરવામાં આવે. સમસ્યા ઘણી મોટી છે. અમે તેનું સમાધાન ઈચ્છીએ છીએ. તેના કારણે જ અમારી તમામ પરંપરાઓ તોડીને પ્રેસ કોન્ફરન્સ કરી હતી.' તેમણે કહ્યું કે, સમસ્યાને લાંબો સમય નહીં રહેવા દઈએ. તેનું જલદી સમાધાન કાઢવામાં આવશે. અમને કોઈ ખાસ મામલાની ચિંતા નથી.

સ્પેશિયલ સીબીઆઈ જજ બી. એચ. લોયાના મૃત્યુની તપાસની માગવાળી અરજીને સુપ્રીમ કોર્ટની એક ખાસ બેંચની પાસે મોકલયો હોવાનો મુદ્દો પ્રેસ કોન્ફરન્સમાં ઉઠ્યો હતો. તે બેંચની અધ્યક્ષતાવાળા જસ્ટિસ અરુણ મિશ્રાએ તેમને આ કેસથી અલગ કરી લીધા હતા. શુક્રવારે આ મામલા પર બીજી બેંચ સુનાવણી કરશે.

સૂત્રોએ જણાવ્યું કે, પ્રેસ કોન્ફરન્સમાં ઉઠાવેલા મુદ્દાના સમાધાન માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એક સૂત્રએ જણાવ્યું, 'સદ્ભાવ કાયમ કરવા માટે મુખ્ય ન્યાયધીશે સાથી જજો સાથે સંપર્ક કર્યો. જોકે, મામલાનું સમાધાન નથી થયું' તેમણે જણાવ્યું, 'પ્રેસ કોન્ફરન્સમાં ઉઠાવાયેલા મુદ્દા પર શરુઆતમાં વાતચીત થઈ છે, પણ કોઈ ખાસ પ્રગતિ નથી થઈ શકી. કયાંક વધારે મોટા મુદ્દા છે, જેનું સમાધાન થવું જોઈએ.'

સૂત્રોએ જણાવ્યું કે જસ્ટિસ ચેલામેશ્વરની અસ્વસ્થતાના કારણે આ પ્રયાસમાં અડચણો આવી રહી છે. તબીયત ખરાબ હોવાના કારણે જસ્ટિસ ચેલામેશ્વર બુધવારે કામકાજથી દૂર રહ્યા. તેમને સાઈનસ પ્રોબલેમ છે, જે દિલ્હીમાં પ્રદૂષણના કારણે વધી ગઈ છે. બાકી જજોને બુધવારે પરંપરાગત લંચ દરમિયાન મુલાકાત કરી. કોર્ટમાં તમામ જજ દરેક કામના દિવસની શરુઆત કરતા પહેલા એક સાથે ચા પીએ છે. ખાસ કરીને મુખ્ય ન્યાયધીશો સાથે જજનો સદ્ભાવ વધારવા માટે આ પરંપરા બનાવાઈ છે.

જજોએ જે મુખ્ય મુદ્દો ઉઠાવ્યો છે, તેમાં કેસને જુદી-જુદી બેંચો પાસે મોકલવાની વ્યવસ્થા, મુખ્ય ન્યાયાધીશની સામે ફરિયાદોના નિરાકરણની વ્યવસ્થા ન હોવાના કારણે મેમોરેન્ડમ ઓફ પ્રોસિઝરનો મામલો જોડાયો છે. એમઓપીએ હજુ અત્યંત રુપ નથી અપાયું.

કમિટી ઓફ જયુડિશિયલ અકાઉન્ટિબિલિટી એન્ડ રિફોર્મ્સને મંગળારે મુખ્ય ન્યાયાધીશની વિરુદ્ઘમાં એક ફરિયાદને ચાર વરિષ્ઠ જજો પાસે મોકલવામાં આવ્યો હતો, જેમાં પ્રક્રિયાગત અનિયમિતતાઓનો મુદ્દો ઉઠવવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવવ્યું કે ભવિષ્યમાં આવી ફરિયાદોના સમાધાનનો રસ્તો બનાવવા માટેના મિકેનિમ પર વિવાદ છે. મુખ્ય ન્યાયાધીશને લખેલા પત્રમાં ચારે જજોએ માંગ કરી હતી કે રાજકિય રીતે સંવેદનશીલ સહિત તમામ વિવાદિત મામલાને વરિષ્ઠતમ જજોની બંધારણીય પીઠને સોંપવામાં આવે.

(10:07 am IST)