Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

મુંબઈના પૂર્વ કમિશનર પરમબીરસિંહ સામે થાણેમાં છેતરપીંડી સહિતની IPC હેઠળ ચોથી ફરિયાદ દાખલ

ખોટી ફરિયાદનાં આધારે કરોડોની વસુલીનો આરોપ: એફઆઈઆરમાં પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્મા, ડીસીપી દીપક દેવરાજ, એનટી કદમ અને રાજકુમાર કોથમિરે સહિત 28 લોકોને આરોપી

મુંબઈ પોલીસના ભૂતપૂર્વ કમિશનર પરમવીર સિંહ પર ગાળિયો કસાઈ રહ્યો છે. થાણેમાં પરમબીર સિંહ વિરુદ્ધ ચોથી એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. પરમવીર સિંહ સહિત 28 લોકો સામે ખંડણી, ધમકી સહિતની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ એફઆઈઆરમાં પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્મા, ડીસીપી દીપક દેવરાજ, એનટી કદમ અને રાજકુમાર કોથમિરે સહિત 28 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.

અકબર પઠાણ પરાગ મનરે બાદ હવે ડીસીપી દીપક દેવરાજ સામે પણ એફઆઈઆર નોંધવામાં આવી છે. ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ ચોથી FIR બુકી કેતન તન્ના અને સોનુ જાલાનની ફરિયાદ પર નોંધવામાં આવી છે. આરોપ છે કે પોલીસે ગેંગસ્ટર રવિ સાથે મળીને બનાવટી કેસ કર્યો હતો. આ પછી, કેતન તન્ના પાસેથી 1 કરોડ 25 લાખ રૂપિયા, સોનુ જાલાન પાસેથી 3 કરોડ 45 લાખ રૂપિયા અને કિરણ માલા પાસેથી 1 કરોડ 50 લાખ રૂપિયા કાર્યવાહી કરવામાં ન આવ્યા અને આરોપીઓની યાદીમાંથી નામ કાઢી નાખ્યા.

પરમબીર સિંહ પર કરોડો વસૂલવાના આરોપી આ કેસમાં રિયાઝ ભાટીનું નિવેદન પણ નોંધાયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંજય પુનમિયાએ પરમબીર સિંહ મારફતે આરોપીઓની યાદીમાંથી દૂર નહીં કરવાનું વચન આપીને તેમની પાસેથી દોઢ કરોડ રૂપિયા વસૂલ્યા હતા. રિયાઝ ભાટીએ દાવો કર્યો હતો કે સંજય પુમાનિયાએ તેમની સામે ફોન પર પરમબીર સિંહ સાથે વાત કરી હતી.

આ જ મહિનામાં પરમબીર સિંહ સામે ત્રીજી એફઆઈઆર પણ નોંધાઈ હતી. હવે તેની સામે ચોથી FIR નોંધવામાં આવી છે. મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ અને અન્ય 5 પોલીસ અધિકારીઓ સામે નોંધાયેલા કેસની તપાસ માટે SIT ની રચના કરવામાં આવી હતી. ડીસીપી કક્ષાના અધિકારીને આ તપાસ ટીમના વડા બનાવવામાં આવ્યા છે.

જ્યારે એસીપી કક્ષાના અધિકારીને સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે. એટલું જ નહીં, આ જ ટીમ ફરિયાદ નોંધાવનાર શ્યામસુંદર અગ્રવાલ સામે જુહુ પોલીસ સ્ટેશનમાં MCOCA હેઠળ નોંધાયેલા કેસની પણ તપાસ કરશે. અગ્રવાલ પર છોટા શકીલ સાથે સંબંધ હોવાનો આરોપ છે.

(12:57 pm IST)