Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

કર્ણાટકમાં પ નાયબ મુખ્ય પ્રધાન બનાવાશે?

મંત્રી મંડળમાં પણ યુવાઓને મળી શકે છે સ્થાનઃ નવી સરકારમાં મોટા ફેરફારો થશે

બેંગ્લોર તા. ૩૦ :.. કર્ણાટકમાં ર૦ર૩ માં વિધાનસભા ચૂંટણી થવાની છે. તે પહેલા સત્તાધારી ભાજપા સરકારમાં મોટા ફેરફારો કરવાના મૂડમાં દેખાય છે. પહેલા યેદીયુરપ્પા પાસે રાજીનામુ માંગી લેવાયું. ત્યાર પછી લિંગાયત સમાજના બસવરાજને નવા મુખ્ય પ્રધાન બનાવાયા. હવે જે સમાચારો મળી રહ્યા છે તેના અનુસાર, ભાજપા અહીં પાંચ નાયબ મુખ્યપ્રધાન અંગે વિચારી રહી છે.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી પદના શપથ લીધા પછી બોમ્મઇ આજે દિલ્હી આવ્યા છે. તેમની મુલાકાત વડાપ્રધાન મોદી સાથે પણ થવાની છે. નવા મંત્રીમંડળને અંતિમ રૂપ આપવાનું હજુ બાકી છે.

કહેવાઇ રહ્યું છે કે પોતાના દિલ્હી પ્રવાસ પછી બસવરાજ તેને અંતિમ રૂપ આપશે. ર૦ર૩ ની વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કર્ણાટકના નવા મુખ્ય પ્રધાન પાંચ નાયબ મુખ્ય પ્રધાન સીલેકટ કરે તેવી શકયતા છે. જણાવી દઇએ કે કર્ણાટકમાં વધુમાં વધુ ૩૪ પ્રધાનો બનાવી શકાય છે.

(1:02 pm IST)