Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

હવે જો ઘરમાં બોરવેલ હશે તો ૧૦,૦૦૦ રૂપિયા ભરી કેન્‍દ્ર સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે : સિંચાઈ માટે વપરાતા બોરવેલને એન.ઓ.સી.માંથી મુક્‍તિ અપાઈ

કેન્‍દ્ર સરકારનાં જળ સંપત્તિ વિભાગ દ્વારા નિર્ણય જાહેર કરતા જણાવાયુ કે, ૩૦ સપ્‍ટેમ્‍બર સુધીમાં બોરવેલ ઉપયોગ માટે અરજી કરવાની રહેશે

નવી દિલ્‍લી તા.૩૦ : કેન્‍દ્ર સરકારનાં જળ સંપતિ વિભાગે બોરવેલને લઈને મહત્‍વનો નિર્ણય લિધો છે. જેમાં તેમનાં દ્વારા જણાવવામાં આવ્‍યુ હતુ કે, હવે બોરવેલ માટે નાગરિકોએ રૂ.૧૦ હજારનો ચાર્જ ભરી સરકાર પાસેથી એન.ઓ.સી. લેવી કોઇ પડશે. જેની માટે નાગરિકોને અરજી કરવા ૩૦ સપ્‍ટેમ્‍બર સુધીનો સમય આપવામાં આવ્‍યો છે. જો કે, સિંચાઈ માટે વપરાતા બોરવેલને એન.ઓ.સી.માંથી મુક્‍તિ આપાઈ છે.

કેન્દ્ર સરકારના જળ સંપત્તિ વિભાગે જાહેર કરાયેલા આ નિર્ણય શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં લાગુ પડશે. આ સાથે જેમને પહેલાથી જ બોરવેલ છે તેમણે પણ મંજૂરી મેળવવી પડશે. આ સાથે બોરવેલ વગર પાણી ઉપયોગ કરતા લોકોને NOCની જરૂર નથી .

સરકારે આ પોલિસી અંતર્ગત સિંચાઈ માટે વપરાતા બોરવેલને NOCમાંથી મુક્તિ આપવામાં આવી છે. આમ કેન્દ્ર સરકારની જળ સંપત્તિ વિભાગ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનું જલ્દીથી અમલવારી થાય તે માટે તમામ મુખ્ય સચિવને પત્ર લખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના જળ સંપત્તિ વિભાગે જાહેર કરાયેલા આ નિર્ણય અંતર્ગત નાગરિકોને બોરવેલ અંગેની અરજી 30 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે

(8:37 pm IST)