Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

સ્વ.કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘથી લઇને ભાજપા સુધી વટ વૃક્ષ ઉભુ કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતા

મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીએ પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શોક ની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે
મુખ્ય મંત્રીએ સ્વ.કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘથી લઇને  ભાજપા સુધી વટ વૃક્ષ ઉભુ કરનારા  અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન  કરનારા  સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતા
કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર ને અર્પણ કર્યું હતું એટલું જ નહિ ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યો થી ભાજપા ને અપ્રતિમ  લોક ચાહના અપાવી છે. એમ મુખ્ય મંત્રીએ સદગત કેશુભાઈ ના પ્રદાનની સરાહના કરતા  જણાવ્યુ હતુ
  મુખ્ય મંત્રીએ કહ્યું કે કેશુભાઈ ના અવસાનથી  આપણને સૌને મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું
 વિજય ભાઈ રૂપાણીએ સદગત કેશુભાઈના આત્માની પરમ  શાંતિની પ્રાર્થના પણ સૌ વતી કરી છે.

(6:39 pm IST)