Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

સોના તસ્કરી કેસમાં ઇડીની મોટી કાર્યવાહી:કેરળના મુખ્યમંત્રીના પૂર્વ પ્રધાન સચિવ શિવશંકરની ધરપકડ

કોર્ટે રદ્દ કરી હતી શિવશંકરની આગોતરા જામીનની અરજી

કોચી : કેરળમાં સોનાની તસ્કરી મામલે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. સુત્રોના જણાવ્યા મુજબ સોના તસ્કરી મામલે સસ્પેન્ડ આઈએએસ ઓફિસર અને મુખ્યપ્રધાન પિનારાઈ વિજયનના પૂર્વ પ્રધાન સચિવ એમ શિવશંકરની ઈડીએ ધરપકડ કરી હતી. તસ્કરી મામલે પૈસાની લેવડ-દેવડની તપાસ કરી રહેલી ઈડીએ કેરળના મુખ્યપ્રધાન પિનરાય વિજયનના પ્રધાન સચિવ રહેલા શિવશંકરની 6 કલાક પુછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. આ પહેલા શિવશંકરના આગોતરા જામીન અરજી રદ્દ કર્યા બાદ બુધવારે ઈડીએ તેમની ધરપકડ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઈડી અધિકારીઓની એક ટીમ આર્યુર્વેદ હોસ્પિટલ પહોંચી હતી. કેરળના મુખ્યપ્રધાનના પૂર્વ પ્રધાન સચિવની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. શિવશંકરને કારમાં અર્ણાકુલમમાં લઈ જવામાં આવ્યા હતા. આ પહેલા શિવશંકરની 2 આગોતરા જામીનની અરજી બુધવારના રોજ રદ્દ કરવામાં આવી હતી. ઈડી અને સરહદ ટેક્સ વિભાગ આ મામલે તપાસ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, સરહદ ટેક્સ વિભાગે ગત્ત જુલાઈના 15 કરોડ રુપિયાની રકમનું 30 કિલો સોનું જપ્ત કર્યું હતુ. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA), સરહદ ટેક્સ વિભાગ અને ઈડી સહિત કેન્દ્રિય એજન્સી આ મામલે અલગ-અલગ તપાસ કરી રહી છે.

એનઆઈએ આ મામલે ગેરકાયદેસર ગતિવિધીને રોકવાના કાયદા હેઠળ સુરેશ, સરિત પીએસ, સંદીપ નાયર અને ફૈઝલ ફરીદ સહિત અન્ય કેટલાક લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. સુરેશ અને સરિત સંયુક્ત અરબ અમીરાતના વાણિજન્ય દુતાવાસના પૂર્વ કર્મચારી છે. સંયુક્ત અરબ અમારાતના તિરુવનંતપુરમ સ્થિત વાણિજન્ય દૂતાવાસના એક અધિકારીના નામનો ઉપયોગ કરી સોનાની તસ્કરીથી સાથે જોડાયેલ છે.

(10:58 am IST)