Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ભાજપ યુપી બાદ ગુજરાતમાં પણ ચૂંટણી હારશે અખિલેશ યાદવ અને જયંત ચૌધરીનો મોટો હુંકાર

યુપી મતદાતાઓ માટે જિન્ના કોઈ મુદ્દો નથી.અમે ભણેલા ગણેલા લોકો છે અને જુઠ્ઠાણા મુક્ત સરકાર આપીશું: જુઠ્ઠુ બોલાનારા અને નફરત ફેલાવનારા સામે લડી રહેલા લોકોની પસંદગી કરવાની છે.

નવી દિલ્હી : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ તેમજ આરએલડીના અધ્યક્ષ જયંત ચૌધરીએ સંયુક્ત રીતે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતુ કે, ભાજપે યુપીના વિકાસનો રસ્તો બંધ કરી લીધો છે એટલે લોકોએ ભાજપનો સફાયો કરવાનું નક્કી કરી લીધુ છે. મોદી સરકારમાં શ્રમજીવીઓ, ખેડૂતો પરેશાન છે. યુપી બાદ ગુજરાતમાં ચૂંટણી થશે અને ગુજરાતમાં પણ ભાજપ ચૂંટણી હારશે.

અખિલેશ યાદવે કહ્યુ હતુ કે, ગરીબો અને વંચિતો માટે સમાજવાદી કેન્ટીન શરુ કરાશે. જ્યાં 10 રુપિયામાં થાળી મળશે. ગરીબો, શ્રમિકોને સસ્તા ભાવે રાશન અને બીજી વસ્તુઓ અપાશે.લોકોને 300 યુનિટ સુધી ફ્રી વીજળી આપવામાં આવશે.

બીજી તરફ જયંત ચૌધરીએ કહ્યુ હતુ કે, યુપી મતદાતાઓ માટે જિન્ના કોઈ મુદ્દો નથી.અમે ભણેલા ગણેલા લોકો છે અને જુઠ્ઠાણા મુક્ત સરકાર આપીશું. યુપી ચૂંટણીમાં મતદાતાઓએ નિર્ણય કરવાનો છે કે, ખેડૂતોને દબાવનાર અને કોઈ વાયદો પૂરો નહીં કરનાર અત્યારની સરકારની પસંદગી કરવાની છે કે પછી જુઠ્ઠુ બોલાનારા અને નફરત ફેલાવનારા સામે લડી રહેલા લોકોની પસંદગી કરવાની છે.

આ પહેલા મુઝ્ઝફરનગરમાં પણ અખિલેશ અને જયંતે કહ્યુ હતુ કે, અણારી સરકાર યુપીમાં આવી તો કોઈ કાળો કાયદો લાગુ નહીં થાય. એમએસપી પર સરકાર ખેડૂતો પાસેથી ખરીદી કરશે અને ખેડૂતોને શેરડીના પૈસા માટે રાહ નહીં જોવી પડે. અમારુ ગઠબંધન ખેડૂતોના હિત માટેનુ ગઠબંધન છે. પહેલી વખતે બે ખેડૂત પુત્રો સાથે છે અને ભાજપનો સફાયો નક્કી છે.

(10:22 pm IST)