Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

તાજમહાલ મકબરો જ છે મંદિર નથી

પુરાતત્વ વિભાગની ભાજપ સહિતના નેતાઓને લપડાક : રજૂ કર્યુ કોર્ટમાં સોગંદનામુ

લખનૌ, તા.ર૨ : તાજમહેલને તેજોમહાલય  બતાવનારા ભાજપ સહિતના નેતાઓને યુપીના મુખ્યમંત્રીયોગી આદિત્યનાથની સરકારે આકરોઆંચકો આપ્યો છે. સરકારે પુરાતત્ત્વવિભાગ સાથે મળીને કોર્ટમાં દાખલકરવામાં આવેલ જવાબમાં કહ્યું કે,તાજમહેલ શિવાલય છે, એવા કોઈ પુરાવાનથી. પરંતુ શાહજહાં દ્વારા બનાવવામાંઆવેલ મકબરો છે. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ આગરાનીએક કોર્ટમાં સોગંદનામું રજૂ કરવા જઈરહ્યું છે. જેમાં કહેવાયું છે કે તાજમહેલશાહજહાં અને તેમની પત્નીનો મકબરોછે. વકીલ રાજેશ કુલશ્રેષ્ઠ દ્વારા ૮ એપ્રિલર૦૧પના રોજ એક અરજી દાખલકરવામાં આવી હતી જેમાં તેમણે ઉલ્લેખકર્યો હતો કે તાજમહેલ એક મંદિર છે.

નોંધનીય છે કે છેલ્લા કેટલા સમયથીભાજપ અને અનેક બીજા નેતા તાજમહેલ અંગે દાવો કરી રહ્યા છે કે તેમકબરો નહીં પરંતુ 'તેજો મહાલય' છે.ભાજપના રાજ્યસભાના સાંસદ વિનય કટિયારે પણ આ વાતને સમર્થન આપ્યુંહતું.

આ અરજીના જવાબમાં પુરાતત્ત્વ ખાતાના વકીલ અંજની શર્માએ જણાવ્યું કે, તાજમહેલના શિવમંદિર 'તેજો મહાલય' હોવા અંગે જે દલીલો કરવામાં આવી છે

અગાઉથી નિર્ણય લઈ ચૂકી છે કેતાજમહેલનો કયો ભાગ પ્રવાસીઓ માટેખુલ્લો મૂકવામાં આવે અને કયો નહીં. તેથીએ અંગે કોઈ સમીક્ષા કરવાની જરૂર નહીં. અહેવાલ અનુસાર ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના એક અધિકારી અનુસારસ્વઘોષિત ઈતિહાસકાર પી.એન. ઓકનાપુસ્તકને કારણે આ વિવાદ ઊભો થયોહતો. આ પુસ્તકમાં તાજમહેલ હિન્દુ મૂળનો હોવાની વાત કરવામાં આવી છે અને તેને આધારે રાજકારણીઓ અનેમંત્રીઓ નિવેદનો આપતાઆવ્યા છે. આ કારણોસર લખનૌમાં લગભગ અડધો ડઝન વકીલોએઆગરાની અદાલતમાં અરજી દાખલ કરીહતી. તાજમહેલની નજીક આવેલ દશેરાઘાટ પર શિવસેના નિયમિતપણે ભગવાનશંકરની આરતી કરે છે અને અનેક સંગઠન તાજમહેલની અંદર અને મહાર પ્રદર્શન કરી ચૂક્યા છે અને મંદિર હોવાના કારણે તેમાં આવેલીમસ્જિદમાં થતી નમાઝને બંધ કરવા માંગકરી હતી. આ મુદ્દે આગરા ટુરિસ્ટ વેલ્ફેરચેમ્બરના અધ્યક્ષ પ્રહલાદ અગ્રવાલે કહ્યું હતુંકે તાજમહેલ એક વૈશ્વિક સ્મારક છે અનેતેને વિવાદોનું કેન્દ્ર ન બનાવવુંજોઈએ. તેનાથી વૈશ્વિક સમુદાયમાંદેશની છબિને નુકસાન પહોંચે છે.

(12:46 pm IST)