Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમીક્રોન ની વધતી દહેશતના લીધે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ભારતમાં આંતરરાષ્ટ્રીય આગમન માટેની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે જે 1 ડિસેમ્બરથી અમલી બનશે : મુસાફરી પહેલાં 14 દિવસની મુસાફરીની વિગતો સબમિટ કરવાનો અને એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ અપલોડ કરવાનો આદેશ કર્યો

નવી દિલ્હી : આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ, 'જોખમ ધરાવતા દેશો'ના પ્રવાસીઓએ ભારતમાં આગમન પછી કોવિડ ટેસ્ટ કરાવવો પડશે અને એરપોર્ટ પર પરિણામોની રાહ જોવી પડશે. જો આ ટેસ્ટ નેગેટિવ આવશે તો તેઓને 7 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન કરાશે. 8મા દિવસે ફરીથી તેમનું પરીક્ષણ કરાશે અને જો આ પરિણામ નેગેટિવ આવે, તો પણ તે વ્યક્તિને આગામી 7 દિવસ માટે વધુ સ્વ-નિરીક્ષણ હેઠળ રખાશે.

આરોગ્ય મંત્રાલયની નવી માર્ગદર્શિકા મુજબ 'જોખમ ધરાવતા દેશો' સિવાયના દેશોના પ્રવાસીઓને એરપોર્ટ છોડવાની મંજૂરી આપવામાં આવશે અને 14 દિવસ સુધી આવા યાત્રીઓએ સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવું પડશે. વિદેશથી આવતી આવી કુલ ફ્લાઇટ મુસાફરોના 5% રેન્ડમ મુસાફરોએ આગમન સમયે એરપોર્ટ પર પરીક્ષણમાંથી ફરજીયાત  પસાર થવું પડશે.

(10:09 pm IST)