Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

સોમાલિયાના મોગાદિશુમાં આત્મઘાતી હુમલો: 7 લોકોના મોત 10થી વધુ ઘાયલ

આઈસક્રીમ શોપ પર એક આત્મઘાતી હુમલો : અલકાયદા સાથે જોડાયેલ ઈસ્લામિક આતંકવાદી સંગઠન અલ-શબાબે હુમલાની જવાબદારી લીધી

સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં એક આઈસક્રીમ શોપ પર એક આત્મઘાતી હુમલો થયો. જેમાં 7 લોકોના મોત થયા છે. આ હુમલામાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે. હુમલાની જવાબદારી અલકાયદા સાથે જોડાયેલ ઈસ્લામિક આતંકવાદી સંગઠન અલ-શબાબે લીધી છે

 આ હુમલો અમેરિકાના કાર્યકારી સંરક્ષણ સચિવ ક્રિસ્ટોફર મિલરની મુલાકાતના કલાકો પછી જ કરવામાં આવ્યો હતો. તે સમયે ક્રિસ્ટોફર મિલર અમેરિકન રાજદૂત અને લશ્કરી કર્મચારીઓને મળવા મોગાદિશુ પહોંચ્યા હતા. આ હુમલામાં માર્યા ગયેલા 7 ઉપરાંત 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

નોંધપાત્ર વાત એ છે કે આ હુમલા માટે જવાબદાર સંગઠન અલ-શબાબ અગાઉ પણ સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં આતંકી હુમલો કરતો રહ્યો છે. આ સંગઠને ઓગસ્ટમાં મોગાદિશુ પર પણ હુમલો કર્યો હતો. ત્યારે એક હોટલને તેના આતંકીઓએ નિશાન બનાવ્યું હતું.

આ હુમલામાં કુલ 16 લોકો માર્યા ગયા હતા. અહીંની સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી અને આતંકવાદીઓ સામે લડત આપી હતી અને લગભગ 5 કલાક પછી હોટલને બચાવી લીધી હતી.

(9:59 am IST)