Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

મહાકાલ કોરીડોર ''શ્રી મહાકાલ લોક'' તરીકે ઓળખાશે : નરેન્દ્રભાઇ દ્વારા લોકાર્પણ

અલગ-અલગ પ્રાંતોના નૃત્યુ રજુ કરાશે : કીર્તન-ભજન ને સુંદરકાંડ પાઠ થશે : રંગોળી-શણગારથી ઉજૈનને સજાવાશે : ક્ષિપ્રા નદી બારે મહિના વહેશે...

ઉજૈન, તા. ર૮ : મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહે જણાવ્યું હતું કે મહાકાલ કોરિડોર 'શ્રી મહાકાલ લોક'તરીકે ઓળખાશે. લોકાર્પણ પ્રસંગની પ્રવૃત્તિઓ ૫ ઓકટોબરથી શરૃ થશે, જે ૧૧ ઓકટોબરે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા મહાકાલ પ્રોજેકટના લોકાર્પણ સાથે પૂર્ણ થશે. તેમણે કહેલ કે મહાકાલ કોરિડોર'શ્રી મહાકાલ લોક' તરીકે ઓળખાશે.

શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી દ્વારા મહાકાલ કેમ્પસ વિસ્તરણ પ્રોજેકટનું લોકાર્પણ એ રાજ્યની જનતાનો કાર્યક્રમ છે.  રાજ્યના લોકો અને ખાસ કરીને ઉજ્જૈનના રહેવાસીઓ આ કાર્યક્રમની બાગડોર સંભાળશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે લોકાર્પણ પ્રસંગે ઉજ્જૈનવાસીઓ દરેક ઘર અને દુકાનમાં રંગોળી અને શણગાર કરશે. બહારથી આવતા મહેમાનો ઉજ્જૈનની સરહદ શરૃ થતાં જ ઉત્સાહ, ઉલ્લાસ અને ભકિતથી ભરેલા શિવમય વાતાવરણનો અનુભવ કરશે.સીએમ શિવરાજે કહ્યું કે વિવિધ સામાજિક સંસ્થાઓ ભોજન, ભંડારા વગેરેનું આયોજન કરશે. દેશના અલગ-અલગ પ્રદેશોની ડાન્સ ટીમો ઉજ્જૈનમાં અલગ-અલગ સ્થળોએ તેમનું પર્ફોર્મન્સ આપશે.  

મહાકાલની સવારી સંપૂર્ણ ગૌરવ અને ભવ્યતા સાથે કાઢવામાં આવશે, ધર્મસ્થાનોમાં કીર્તન, ભજન અને સુંદરકાંડના પાઠ થશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે પંડિત સુખદેવ ચતુર્વેદી દ્વારા શ્લોક રજૂ કરવામાં આવશે.  આ સાથે ક્ષિપરા નદીને બારેય મહિના વહેતી કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

(3:13 pm IST)