Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું -ઉદયપુરમાં ઘાતકી હત્યા નિંદનીય છે : આવી હત્યાનો બચાવ કોઈ કરી નહીં

અમારી સરકાર પાસે માંગ છે કે તેઓ દોષિતો સામે કડક કાર્યવાહી કરે. કાયદાનું શાસન જાળવવું પડશે

નવી દિલ્હી : ઉદયપુરની હત્યાની ઘટના પર AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે ઉદયપુરમાં થયેલી ઘાતકી હત્યા નિંદનીય છે. આવી હત્યાનો બચાવ કોઈ કરી શકે તેમ નથી. અમે હંમેશા હિંસાનો વિરોધ કર્યો છે. અમારી સરકાર પાસે માંગ છે કે તેઓ દોષિતો સામે કડક કાર્યવાહી કરે. કાયદાનું શાસન જાળવવું પડશે. ઉદયપુરની ઘટના બાદ યુપીના તમામ જિલ્લાઓની પોલીસને એલર્ટ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

(9:59 pm IST)