Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

મહાનાયક અમિતાભ બચ્ચનની સર્જરી કરાઈ :કોઈપણ સમયે ઘરે પરત ફરશે

હવે અમિતાભની તબિયતને લઈને જોખમ ઓછું થયું

મુંબઈ : બોલીવુડના મહાનાયક અમિતાભ હંમેશાં સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે અનેક ભાવનાઓ શેર કરતાં રહે છે. પરંતુ તાજેતરમાં બિગ બીના ચાહકોને આંચકો લાગે એવા સમાચાર આવ્યા હતા. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની તબિયત ફરી એકવાર કથળી હતી. આ બાબતે હવે ખુલાસો થયો છે.હાલમાં જ બિગ બીએ ખુદ ચાહકોને તેની બગડતી તબિયત વિશે માહિતગાર કર્યા છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને એક બ્લોગ દ્વારા તેમના ચાહકોને માહિતી આપી હતી કે તેમની સર્જરી કરવામાં આવી રહી છે. આ સમાચાર સાંભળીને ચાહકો ખૂબ નિરાસ થયા છે.

અહેવાલ મુજબ અભિનેતાની આંખની સર્જરી કરવામાં આવી છે. શનિવારે મેગાસ્ટાર અમિતાભ બચ્ચને સંકેત આપ્યા હતા કે તેમની સર્જરી કરવામાં આવી રહી છે.

હવે આ સમાચારને લઈને ચાહકોને ચિંતા કરવાની કંઈ જરૂર નથી. અમિતાભ બચ્ચનની સર્જરી કરવામાં આવી છે અને તે આવતીકાલે ઘરે પરત ફરશે.

અહેવાલ મુજબ એક નજીકના મિત્રને ખુલાસો કરતા કહ્યું હતું કે બિગ બીની આંખમાં મોતિયો હતો, જેની સર્જરી કરાઈ છે. તે કોઈ પણ સમયે બહાર આવી શકે છે. આનો અર્થ છે કે હવે અમિતાભની તબિયતને લઈને જોખમ ઓછું થયું છે. આ સમાચાર બહાર આવ્યા બાદ હવે અમિતાભના ચાહકોને રાહત મળશે.

તમને જણાવી દઇએ કે શનિવારે અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું હતું કે મેડિકલ કંડિશન, સર્જરી, હું લખી શકતો નથી, એબી. તેમના આ લખાણથી બધાને ચિંતા થઈ ગઈ હતી. ત્યારબાદ, ચાહકો તેમની તંદુરસ્તી માટે પ્રાર્થના કરી રહ્યા હતા. જોકે ચાહકોના મનમાં સવાલ એ હતો કે સુપરહીરોની સર્જરી થઈ છે કે થવાની છે અને એક્ટર કઈ સર્જરીની વાત કરી રહ્યા છે.

(11:40 pm IST)