Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

૨૯મી સુધી ઉત્તર ભારતમાં વરસાદની આગાહી

એમ.પી.માં ૧૩ જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટઃ તાજેતરમાં પડેલા વરસાદથી ગુજરાતના ૫૬ રસ્તાઓ બંધ

મુંબઇઃ ભારે વરસાદ અને પુરથી  મહારાષ્ટ્રમાં તબાહી મચી ગઇ છે. ભુસ્ખલન અને પુરથી અત્યાર સુધીમાં ૧૬૪ લોકોના મોત થયા છે. જયારે ૧૦૦ લોકો ગુમ છે. જો કે વરસાદનું જોર ઘટી ગયું છે. રાહત-બચાવ કામગીરી જારી છે. જયારે ગુજરાતમાં ભારે વરસાદથી ૫૬ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. દિલ્હી એનસીઆર અને ઉત્તરપ્રદેશના અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડયો હતો. મધ્યપ્રદેશમાં વરસાદનો રાઉન્ડ ચાલુ છે. હવામાન વિભાગ દ્વારા ૨૯ જુલાઇ સુધી ઉત્તર ભારતમાં વરસાદની આગાહી કરી છે. મધ્યપ્રદેશના ૧૩ જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.

(3:45 pm IST)