Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

દેશના 119 મહાનુભાવોને પદ્મ શ્રી, 7ને પદ્મવિભૂષણ અને 10 દિગ્જ્જો પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત

દાદુદાન ગઢવીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા

નવી દિલ્હી : દેશમાં આ વર્ષે કોઇને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી નથી જોકે 119 લોકોને પદ્મ પુરસ્કાર, 7 લોકોને પદ્મ વિભૂષણ અને 10 લોકોને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા છે

જાપાનના પ્રધનમંત્રી શિંજો આબે, મૌલાના વહીદુદ્દીન ખાન, બીબી લાલ, સુરદ્શન પટનાયકને પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરાઇ છે. તો પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, પ્રધાનમંત્રીના પૂર્વ મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા, પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન(મરણોપરાંત), અસમના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈ(મરણોપરાંત) અને ધર્મગુરૂ કલદી સાદિક(મરણોપરાંત) સહિત 10ને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે

સ્વ.કેશુભાઈ પટેલને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. તો સ્વ.નરેશ કનોડિયા અને સ્વ.મહેશ કનોડિયાને સંયુક્ત પદ્મશ્રી પુરસ્કાર અપાયો છે. જ્યારે દાદુદાન ગઢવીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે

(12:00 am IST)