Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

રિઝવાને મેદાન પર નમાઝ પઢી એ સારી વાત છે : વકાર

ભારત સામેના વિજય બાદ પાક.માં ઉજવણીનો માહોલ : ન્યૂઝ ચેનલ પર વકારે વાત કરી ત્યારે શોએબ મલકાઈ ઊઠ્યો અને એક્નર પણ અત્યંત ખુશ જોવા મળી હતી

નવી દિલ્હી , તા.૨૬ : ટી-૨૦ વર્લ્ડકપની પહેલી મેચમાં ભારતની પાકિસ્તાન સામે થયેલી કારમી હાર બાદ ભારતના ક્રિકેટ ચાહકો આઘાતમાં છે. બીજી તરફ પાકિસ્તાનમાં હજી પણ ઉજવણી જેવો માહોલ છે. આ દરમિયાન પાકિસ્તાનના દિગ્ગજ બોલર અને પૂર્વ કોચ વકાર યુનુસનું નિવેદન ચર્ચાનો વિષય બની રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, મેચમાં ભારતની બેટિંગ દરમિયાન ડ્રિક્નસ બ્રેકમાં પાકિસ્તાન ખેલાડી રિઝવાને મેદાન પર જ નમાઝ પઢી હતી. તેના પર વકાર યુનુસનુ કહેવુ છે કે, મેચમાં સૌથી સારી વાત એ હતી કે, રિઝવાને હિન્દુઓની વચ્ચે ગ્રાઉન્ડમાં નમાઝ પઢી હતી અને આ બહુ સ્પેશ્યિયલ મોમેન્ટ હતી. એક ન્યૂઝ ચેનલ પર વકારે આ વાત કહી હતી અને તેની સાથે પેનલમાં બેઠેલો પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તાર આ સાંભળીને મલકાઈ ઉઠયો હતો અને ચેનલની એક્નર તો આ નિવેદન સાંભળીને અત્યંત ખુશ થતી નજરે પડી હતી.

 

(8:21 pm IST)