Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

કેરળમાં કોરોનાનો કહેર ઘટ્યો : દેશમાં નવા 26.977 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 28.091 દર્દીઓ રિકવર થયા : વધુ 276 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.47.225 થયો : એક્ટીવ કેસ 2.95.091 થયા : કુલ કેસની સંખ્યા 3.36.78.224 થઇ

સૌથી વધુ કેરળમાં 15.951 કેસ, મહારાષ્ટ્ર્રમાં 3206 કેસ, મિઝોરમમાં 1478 કેસ, તામિલનાડુમાં 1694 કેસ, આંધ્રપ્રદેશમાં 1184 કેસ, કર્ણાટકમાં 775 કેસ, પશ્ચિમ બંગાળમાં 748 કેસ, ઓરિસ્સામાં 585 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 26.977 કેસ નોંધાયા છે. જ્યારે 28.091 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 26.977 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 276 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.47.225 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 26.977 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.36.78.224 થઇ છે, એક્ટિવ સંખ્યા 2.95.091 થઇ છે છેલ્લા 24 કલાકમાં 28.091 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.29.22.890 લોકોએ કોરોનાને મહાત આપી છે

 દેશમાં સૌથી સૌથી વધુ કેરળમાં 15.951 કેસ,મહારાષ્ટ્ર્રમાં 3206 કેસ, મિઝોરમમાં 1478 કેસ, તામિલનાડુમાં 1694 કેસ, આંધ્રપ્રદેશમાં 1184 કેસ, કર્ણાટકમાં 775 કેસ, પશ્ચિમ બંગાળમાં 748 કેસ, ઓરિસ્સામાં 585 કેસ નોંધાયા છે 

(11:50 pm IST)