Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

ટ્રેનમાં જન્મ્યો બાળક, દાદાએ નામ રાખ્યું 'દીનદયાળ'

કેન્દ્રિયમંત્રીની ઉપસ્થિતિમાં થયો જન્મ

કોલકત્તા તા. ૨૫ : આમ તો ટ્રેનોમાં બાળકોના જન્મની ઘટનાઓ ઘણીવાર સાંભળી અને જોવા મળે છે. પરંતુ કેટલાક મામલા ખાસ બની જાય છે. પશ્ચિમ બંગાળમાં આવો જ એક મામલો સામે આવ્યો છે. અહીંયા પુરુલિયા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં જ એક મહિલાએ બાળકને જન્મ આપ્યો તો જશ્નનો માહોલ બની ગયો.

હકીકતમાં બાળકનો જન્મ જે ટ્રેનમાં થયો, તે ટ્રેનમાં કેન્દ્રિય મંત્રી અર્જુન મેઘવાલ પણ સફર કરી રહ્યા હતા. જયારે તેમને આ વાતની જાણકારી મળી તો તે પરિવારને શુભકામના આપવા તેમની પાસે પહોંચી ગયા. આ ખુશીના માહોલમાં બાળકના દાદાએ નામકરણ પણ કરી દીધું. તેમણે જનસંધના નેતા દીનદયાળ ઉપાધ્યાયના નામ પર બાળકનું નામ 'દીનદયાળ' રાખ્યું.

ઉલ્લેખનીય છે કે દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ પણ એક રેલવે સ્ટેશન પર થયો હતો. પરિવારવાળાઓને શુભકામના પાઠવવા અને મીઠાઈ વહેંચવાની ઘટના લાંબા સમય સુધી ચાલી.

(3:33 pm IST)