Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ચક્રવાત 'નિવાર'તોફાનમાં ફેરવાયુઃ તામિલનાડુ-પોન્ડિચેરીમાં એલર્ટ, ૧૨૦૦ બચાવ કર્મચારી તૈનાત

પોન્ડિચેરીમાં ગંભીર ચક્રવાતને કારણે સમુદ્રમા ઉંચી લહેરો ઉઠી રહી છેઃ ચક્રવર્તી તોફાન તમિલનાડુમાં મમાલ્લપુરમ અને પોન્ડિચેરીના કરાઈકલથી આજે રાતે પસાર થશેઃ તમિલનાડુ અને પોન્ડિચેરીમાં સાર્વજનિક રજા

નવી દિલ્હી, તા.૨૫: ભારતીય હવામાન વિભાગમાં જણાવ્યાનુંસાર બંગાળની ખાડીમાં દક્ષિણ - પશ્ચિમમાં ગંભીર ચક્રવાત 'નિવાર' પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ છેલ્લા ૬ કલાક દરમિયાન ૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વધી રહ્યું છે અને આજે બપોરે ૨.૩૦ વાગે બંગાળની ખાડીમાં દક્ષિણ-પશ્ચિમમાં કન્દ્રિત રહેશે.

તમિલનાડુ અને પોન્ડિચેરીના અનેક વિસ્તારોમાં મંગળવારથી વરસાદ શરુ થઈ ગયો છે.  એનડીઆરએફ, તટરક્ષક દળ, ફાયર વિભાગ સહિત વિભિન્ન રાજયો અને કેન્દ્રીય એજન્સીઓના કર્મચારીઓની તૈનાતી કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે કરવામાં આવી છે. તોફાને ધ્યાનમાં રાખીને તમિલનાડુ અને પોન્ડિચેરીમાં બુધવારે સાર્વજનિક રજા જાહેર કરવામાં આવી છે. વાહનવ્યવહાર સ્થગિત કરાયો છે. તમિલનાડુના સીએમએ કહ્યું કે બુધવારે રાજયમાં સામાન્ય રજા છે. પરુતુ જરુરી સેવાઓ સાથે જોડાયેલા લોકો કામ કરશે.

હવામાન વિભાગે કહ્યું કે બુધવારે તો તોફાનની અસરથી તમિલનાડુ, પોન્ડિચેરી અને કરાઈકલના મોટાભાગના વરસાદ થઈ શકે છે. કેટલાક સ્થાનો પર ભારે થી અતિ ભારે વરસાદ થઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ તમિલનાડુના મુખ્યમંત્રી અને પોન્ડિચેરીના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. તેમજ તોફાન અંગેની માહિતી મેળવી તથા કેન્દ્ર દ્વારા તમામ શકય  મદદ કરવાની બાંહેધરી આપી હતી.

એનડીઆરએફના પ્રમુખ એસએન પ્રધાને કહ્યું કે તે અત્યાધિત તીવ્રતા વાળા તથા તમામ ભીષણ ચક્રવાત તોફાન માટે તૈયાર છે. તોફાન પ. બંગાળથી દક્ષિણ તટરેખા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે દિલ્હીમાં એક સંવાદદાતા સમ્મેલનમાં કહ્યું કે અમે આના પર નજર રાખી રહ્યા છીએ અને અસરગ્રસ્ત રાજયો સાથે સમન્વય સ્થાપિત કરી રહ્યા છીએ. સ્થિતી ઝડપથી બદલાઈ રહી છે અને આ ૧૨૦થી ૧૩૦ કિમી પ્રતિ કલાકની સ્પીડ વાળા અત્યંત ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પોન્ડિચેરીમાં આ આફતનો સામનો કરવા  એનડીઆરએફના ૧૨૦૦ બચાવકર્મીઓ તૈનાત છે. જયારે ૮૦૦ અન્ય તૈયાર રાખવામાં આવ્યા છે. ચક્રવાત બુધવારે સાંજ સુધીમાં પહોંચે તેવી શકયતા છે.

(10:00 am IST)